National

મહારાષ્ટ્ર: ડોમ્બિવલીમાં ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ભીષણ આગ, 6 લોકોના મોત, 48 ઘાયલ

મહારાષ્ટ્રના (Maharashtra) ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં (Factory) બોઈલર ફાટવાના કારણે આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 48 લોકો ઘાયલ થયા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

અમુદાન કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે બપોરે 1.40 કલાકે વિસ્ફોટ થયો હતો. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે કહ્યું છે કે ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે. સામંતે કહ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટને કારણે નજીકની ઈમારતોની કાચની બારીઓમાં તિરાડો પડી ગઈ હતી અને ઘણા મકાનોને પણ નુકસાન થયું હતું. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી યાસીન તડવીનું કહેવું છે કે બપોરે લગભગ 1.40 વાગ્યે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિસ્ફોટ બાદ આગ નજીકની ત્રણ ફેક્ટરીઓમાં ફેલાઈ ગઈ હતી. આગ અને ધુમાડો દૂરથી જોઈ શકાતો હતો.

આઠ લોકો સસ્પેન્ડ – દેવેન્દ્ર ફડણવીસ
બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આ મામલામાં આઠ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફડણવીસે લખ્યું, ‘NDRF, TDRF અને ફાયર બ્રિગેડની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે.

Most Popular

To Top