SURAT

સુરત: પરિણીતાને ડોક્ટરોએ મૃત જાહેર કરતા ભયભીત પતિ મૃતદેહ મુકીને ફરાર

સુરત : ઉન વિસ્તારમાં રહેતી પરિણીતાએ માનસિક બિમારીથી ત્રાસી જઇ ફાંસો ખાઇ લીધો હતો. પતિ પત્નીને ખાનગી હોસ્પિટલમાં (Hospital) લઇ જતા ત્યાં તેને ડોક્ટરોએ (Doctor) મૃત (Death) જાહેર કરી હતી. જેથી ભયભીત થયેલો પતિ હોસ્પિટલમાં જ મૃતદેહ (Deadbody) મુકીને ભાગી ગયો હતો. બનાવની જાણ પોલીસને (Police) થતા પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ રવાના કરી હતી.

  • માનસિક બિમાર પત્નીનો આપઘાત : ગભરાયેલો પતિ પત્નીને હોસ્પિટલમાં મુકી ફરાર
  • પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ રવાના કરી
  • પ્રેમલગ્ન કરનાર મૃતકને છ મહિનાની બાળકી

નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઉન તિરૂપતિ નગરમાં રહેતા રાજેશ સહાની કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશ સહાનીની પત્ની રાજકુમારી (ઉ.વ.22)એ ગઇકાલે સાંજના સમયે રાજેશ ઘરની બહાર કામ માટે ગયો હતો. તે સમયે ઘરનો દરવાજો બંધ કરી છતના હુંક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને દરવાજો તોડ્યો હતો. પરત ઘરે ફરેલા રાજેશને પત્નીએ ફાંસો ખાધો હોવાનું જોતા જ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં ફરના તબીબે રાજકુમારીને મૃત જાહેર કરી હતી. જેથી પતિ રાજેશ ડરી ગયો હતો અને પત્નીને મૃત હાલતમાં જ હોસ્પિટલમાં છોડીને ભાગી ગયો હતો. બાદમાં સચિન જીઆઇડીસી પોલીસે પરિણીતાનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પ્રેમલગ્ન કરનાર મૃતકને છ મહિનાની બાળકી
રાજેશભાઈએ બંને દોઢ વર્ષ અગાઉ રાજકુમારી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. મૃતકને છ મહિનાની બાળકી હોવાનું જાણવા મળ્યું છે. રાજકુમારીને માનસિક બિમારીની દવા ચાલતી હતી. દરમિયાન તેણે આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top