Top News

More Posts

   The Latest

Most Popular

અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લામાં દિવસે ને દિવસે અકસ્માતની (Accident) ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ અંકલેશ્વર (Ankleshwar) વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યું છે.શુક્રવારે બપોરે પણ અકસ્માતની વધુ એક ઘટના અંકલેશ્વર વિસ્તારમાંથી સામે આવી હતી. જ્યાં અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ઉપરથી મોટરસાઇકલ (Motorcycle) લઇ પસાર થતા ઇસમોને કારના ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારતાં બાઇક પર સવાર બંને ઈસમ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. જ્યાં તેમને ગંભીર ઇજાના પગલે એક ઈસમનું ઘટના સ્થળે જ મોત (Death) નીપજ્યું હતું. તો અન્ય એક ઈસમ ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ઇજાગ્રસ્ત અને મરનારની ઓળખ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી
અકસ્માતની ઘટના બાદ લોકટોળાં થતાં બ્રિજ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, ઘટનાની જાણ સ્થાનિક પોલીસમથકે થતાં પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચી જઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત અને મરનારની ઓળખ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

To Top