Gujarat

બધું કામ દિલ્હીથી નહી થાય, અમુક કામ લોકલ લેવલ પર કરવા પડે: પી.એમ મોદી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. દરેક રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે મંગળવારનાં રોજ ભાજપ(BJP) દ્વારા ગુજરાત(Gujarat)માં બે દિવસીય રાષ્ટ્રીય મેયર કોન્ફરન્સ(National Mayors’ Conference)નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપી હતી. જેમાં મેયરોએ પોતાના શહેરોમાં કેવી કામગીરી કરવી જોઈએ તે અંગે સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ ઉપસ્થિતિ રહીને વિવિધ પાસાઓ પર વાત કરી હતી.

ચૂંટણીલક્ષી વિચારસરણીથી આપણે શહેરનું ભલું નથી કરી શકતા: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ મેયરોને એવી પણ ટકોર કરી હતી કે, બધુ દિલ્લીથી ન થઈ શકે, અમુક કામ લોકલ લેવલ પર મેયરોએ, સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારોએ પણ કરવાના હોય છે. “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના શાસનનું ભાજપનું મોડેલ તેમને આપવામાં આવ્યું છે. તેને અન્ય લોકોથી અલગ પાડે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આજે પણ રાજ્યની જનતા તેમના કાર્યોને ખૂબ જ આદરથી યાદ કરે છે.

બિલ્ડીંગમાં આગ ચિંતાનો વિષય છે: PM
તેમણે કહ્યું, “તમારે પણ તમારા શહેરોને એવા સ્તરે લઈ જવાના છે કે આવનારી પેઢીઓ તમને યાદ કરે અને કહે કે હા, આ કામ થયું ત્યારે અમારા શહેરમાં ભાજપના એક મેયર આવ્યા હતા.” વડાપ્રધાને કહ્યું કે આજે ભારતમાં શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ રોકાણ છે. દેશમાં મેટ્રો રેલ સેવાના વિસ્તરણનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે 2014 સુધી તે 250 કિમીથી ઓછી હતી. પરંતુ આજે દેશમાં મેટ્રો નેટવર્ક 775 કિમીથી વધુ થઈ ગયું છે અને 1000 કિમીના નવા મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે. પર તેમણે કહ્યું કે શહેરોમાં જૂની ઈમારતો તૂટી પડવી અને તેમાં આગ લાગવી એ ચિંતાનો વિષય છે.

પી.એમએ ભાજપના મેયરો આ કામ કરવાની સલાહ આપી
1) મેયર એ શહેરનો વડો હોય છે એટલે સુખાકારી અને શાંતિની જવાબદારી તેમની હોય છે.
2) શહેરમાં ક્યાંય કોઈ ગંદકી ન થાય સરકારી પ્રોપર્ટીને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
3) સતત શહેરના વિકાસને આર્થિક વિકાસ સાથે કઈ રીતે જોડી શકાય તેની ચિંતા અને ચિંતન કરવું જોઈએ.
4) દબાણો દૂર કરીને શહેરને સ્વચ્છ બનાવવાની જવાદારી પણ મેયરની છે.
5) પોતાના શહેરોનો જન્મદિવસ ઉજવીને તે અંગે લોકોને જાગૃત કરવા જોઈએ.
6) દરેક શહેરમાં પોતાના શહેરની વિશેષતા દર્શાવતું મ્યુઝિયમ બનાવવું જોઈએ અને એમાં શહેર વિશેનો ઈતિહાસ બતાવવો જોઈએ.
7) મેયરે શહેરની સ્ટ્રીટ લાઈટોનું મોનિટરિંગ કરવું જોઈએ અને તેનું નિયમિત ઓડિટ પણ રાખવું જોઈએ.
8) શહેરી વિકાસની વાત હોય ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી વધારે ભાર મુકવો જોઈએ.
9) જૂની ઈમારતો પડી ન જાય તેનાથી કોઈ અકસ્માત ન થાય તેની તકેદારી પણ રાખવી જોઈએ.
10) બિલ્ડિંગોમાં આગના બનાવો વધી રહ્યાં છે. ત્યારે આવા બનાવો ન બને તેની તકેદારી પણ રાખવી,કારણોના મૂળ સુધી પહોંચીને સમસ્યાનું નિદાન કરવું જોઈએ.
11) મોટા શહેરો પરથી ભારણ ઘટાડવા માટે મેયર અને ચૂંટાયેલી પાંખે તેની નજીકમાં નાના-નાના ટાઉન ડેવલપ કરવા જોઈએ.
12) બગીચાઓની જાળવણી માટે સ્થાનિક કક્ષાએ લોકોને જવાબદારી સોંપીને તેમની કમીટી બનાવવી જોઈએ.
13) દરેક કામમાં લોકભાગીદારી કરીને યુવાઓને નેતૃત્વ અને દિશા આપીને તેમની પાસે કામ કરાવવું જોઈએ.
14) ટૂરિઝમ સેક્ટરને વેગ મળે તે દિશામાં દરેક મેયરે કામ કરવાની જરૂર છે.
15) પંચાયત, પાલિકા, નગર પાલિકા અને મહાનગર પાલિકાએ સરકાર છે. સીધી રીતે સરકારનો ચહેરો છે. લોકો સમક્ષ તેની છબિ સારી હોવી જોઈએ.
16) ઝુપડપટ્ટી માટે ગરીબ આવાસ યોજનાઓ અંગે લોકોને જાગૃત કરવા જોઈએ.
17) મધ્યમ વર્ગના વિવિધ પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયાસ પણ મેયર અને ચૂંટાયેલી પાંખે કરવો જોઈએ.
18) લારી-રેકડી વાળાઓ માટે દરેક શહેરમાં ખાસ આયોજન કરવું જોઈએ. તેમને કેન્દ્ર સરકાર દ્વારા અપાતા લાભની જાણકારી આપવી જોઈએ.
19) આર્થિક વ્યવસ્થાઓ વધે તેનું ધ્યાન મેયરે રાખવું જોઈએ. શહેરોના પ્લાનિંગનું પણ વિકેન્દ્રીકરણ કરવું જોઈએ.
20) દરેક વોર્ડમાં દર મહિને સ્માર્ટ વોર્ડ કોમ્પિટિશન રાખવી જોઈએ. જેના કારણે શહેર હંમેશા સુશોભિત રહે.

Most Popular

To Top