National

શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય યથાવત

નવી દિલ્હી: શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં (Shri Krishna Janmabhoomi Case) સુપ્રીમ કોર્ટ (Supreme court) તરફથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ સંકુલના કોર્ટ સર્વે માટે અલ્હાબાદ હાઈકોર્ટના (Allahabad High Court) આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. ગઈ કાલે અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ સંકુલના કોર્ટ સર્વેની (Survey) મંજૂરી આપી હતી. આ સંદર્ભમાં દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે હાઈકોર્ટના સર્વે ઓર્ડર પર કોઈ સ્ટે મૂકી શકે નહીં. હા, જો સર્વેમાં કેટલીક બાબતો બહાર આવે તો તેના પર વિચાર કરી શકાય.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ સંકુલની 13.37 એકર જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ જમીનનો કમિશનર સર્વે વારાણસીના જ્ઞાનવાપી સંકુલ જેવો હશે. એડવોકેટ કમિશનરની ટીમ વિવાદિત જગ્યા પર જશે અને પુરાવા એકત્ર કરશે અને કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. હાઈકોર્ટ આ મામલે 18મી ડિસેમ્બરે ફરી સુનાવણી કરશે, જેમાં સર્વેની પદ્ધતિઓ, સર્વે ટીમના સભ્યોના નામ, સર્વે ક્યારે થશે અને સર્વેના ફોટા અને વીડિયોગ્રાફી કેવી રીતે થશે? આ અંગે સૂચના આપવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેનો આ સમગ્ર વિવાદ 13.37 એકર જમીન પરના માલિકી હક્કને લઈને છે. આ જમીનની 11 એકરમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને બાકીની 2.37 એકરમાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે. હિંદુ પક્ષનો દાવો છે કે આખી જમીન શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની છે અને આખી જમીન તેમને આપવાની માંગ કરી રહી છે. મુસ્લિમ પક્ષ આ દાવાને નકારી રહ્યું છે. નિષ્ણાતોનો દાવો છે કે આ વિવાદનો ઈતિહાસ 350 વર્ષ જૂનો છે. 1670 માં, જ્યારે દિલ્હી મુઘલ શાસક ઔરંગઝેબના શાસન હેઠળ હતું, ત્યારે ઠાકુર કેશવ દેવ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને તેની ટોચ પર શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. મસ્જિદના નિર્માણમાં મંદિરના અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે મસ્જિદને સનાતન ધર્મનું પ્રતિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top