Business

માલદાર મહાજન

એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં છઠ્ઠા ક્રમે આવતા ગૌતમ અદાણીએ પોતાના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અને પિતાની જન્મશતાબ્દી નિમિત્તે રૂ.૬૦,૦૦૦ કરોડના ધર્માદાની ઐતિહાસિક જાહેરાત કરી છે. આ રકમ આગામી વર્ષોમાં શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સવલતો ઊભી કરવા અને આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચવામાં આવશે. આ સખાવત એ વાતની જાહેર કરે છે કે માલદાર મહાજન બને તો દેશ માટે સારાં કામ કરી શકાય છે. અન્ય ક્ષેત્રમાં કાર્યરત માલદાર વ્યક્તિઓ મહાજન બને એવી અપેક્ષાઓ રાખીએ. થોભીએ અને રાહ જોઈએ. મહાજનને અભિનંદન, વંદન.
નવસારી           – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top