Sports

ભારતીય ખેલાડીઓ પર પૈસા અને ઘમંડ હાવી! કપિલ દેવે ભારતીય ક્રિકેટ ટીમને સંભળાવી ખરી ખોટી

નવી દિલ્હી: 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) ભારતીય ક્રિકેટ ટીમને (Indian Cricket Team) લઈને મોટું નિવેદન આપ્યું છે. કપિલ દેવે પહેલા ભારતીય ખેલાડીઓના આત્મવિશ્વાસના વખાણ કર્યા હતા. પરંતુ પછી ખરી ખોટી સંભળાવી હતી તેમણે કહ્યું ભારતીય ખેલાડીઓ પોતાને સર્વજ્ઞ માને છે. તેઓ કોઈની સલાહ લેવાની જરૂર જણાતા નથી. કપિલ દેવે કહ્યું ‘દરેક વ્યક્તિમાં મતભેદ હોય છે, પરંતુ આ ભારતીય ખેલાડીઓની એક સારી વાત એ છે કે તેઓ ઘણો આત્મવિશ્વાસ ધરાવે છે. પરંતુ નકારાત્મક મુદ્દો એ પણ છે કે તેઓને આ વાતનું ઘમંડ પણ છે.

કપિલ દેવે કહ્યું, ભારતીય ટીમ આત્મવિશ્વાસ ધરાવે છે. પરંતુ તેમને એવું પણ લાગે છે કે તેમણે કોઈને કશું પૂછવાની જરૂર નથી. કપિલ દેવે વધુમાં ઉમેર્યું મારું માનવું છું કે અનુભવી વ્યક્તિ હંમેશા તમને મદદ કરી શકે છે. ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. પૂર્વ કેપ્ટને એમ પણ કહ્યું કે પૈસા સાથે ઘમંડ આવે છે. તેમણે કહ્યું ધણીવાર ખેલાડીઓ સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોની પણ સલાહ લેતાં નથી. કપિલ દેવે કહ્યું, “ઘણી વખત એવું બને છે કે જ્યારે વધુ પૈસા આવે છે ત્યારે તેની સાથે અહંકાર પણ આવે છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે.” તેમણે કહ્યું 50 સિઝનથી ક્રિકેટ જોનાર વ્યક્તિ પાસેથી પણ મદદ લેવી જોઈએ. તે તમામ સારી નરસી બાબતો અંગે જાણે છે. ક્યારેક કોઈની વાત સાંભળવાથી પણ તમારા વિચારો બદલાઈ જાય છે.

વિન્ડીઝ સામેની બીજી વનડેમાં કારમી હાર
ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં તેને યજમાન વિન્ડીઝ સામે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિન્ડીઝે 80 બોલ બાકી રાખીને હાંસલ કરી સિરીઝ 1-1થી બરાબર કરી લીધી. હવે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ 1 ઓગસ્ટે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે.

Most Popular

To Top