Madhya Gujarat

દાહોદના મકાનમાં શોર્ટ સર્કિટથી આગ, ત્રણ બાળકો દાઝી ગયાં

       દાહોદ: દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારના બેનસો પાસે આવેલા અનવર સલીમભાઈ પઠાણના રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા ઘરમાં મુકેલા, ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ ઘરવખરીનો સમાન બળી જવા પામ્યો છે. જોકે આ આગના બનાવમાં બે બાળકી તેમજ એક બાળક સહિત  ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થતાં તેઓને ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

આગ લાગી ત્યારે ત્રણેય બાળકો ઘરમાં એકલા જ હતાં

સવારના સમયમાં બનેલી ઘટનામાં ત્રણેય બાળકોના પિતા કલર કામ કરતા હોવાથી વહેલી સવારના સમયમાં કલર કામ પર જતા રહ્યા હતા.અને તેમની માતા બહાર શાકભાજી લેવા બહાર જતા ઘરમાં 6 વર્ષીય અરમાન પઠાણ, 4 વર્ષીય સારા પઠાણ તેમજ અઢી વર્ષીય આરફા પઠાણ મળી ત્રણેય બાળકો ઘરમાં એકલા હતા. અને આ બનાવ બનતા ત્રણેય બાળકો દાઝી ગયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top