Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 41 કેસ : એકપણ મૃત્યુ નહીં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 41 કેસ નોંધાયા છે. જ્યારે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 698 છે, જેમાંથી 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે. બીજી તરફ અત્યાર સુધી 8,13,583 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી 10074 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.69 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 09, સુરત મનપામાં 05, વડોદરા મનપામાં 6, રાજકોટ મનપામાં 3, ભરૂચ , દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડમાં 2-2, જ્યારે આણંદ, ભાવનગર મનપા, દાહોદ, ગીર સોમનાથ, જામનગર મનપા, જુનાગઢ મનપા- ગ્રામ્ય, ખેડા, મહેસાણા, વડોદરા ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

Most Popular

To Top