Gujarat

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 11,892 કેસ, 119 દર્દીનાં મોત

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. શનિવારે નવા 11,892 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 15 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 119 થયાં છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8273 થયો છે.

શનિવારે થયેલાં મૃત્યુમાં અમદાવાદ મનપામાં 15, સુરત મનપામાં 7, સુરત ગ્રામ્યમાં 5, વડોદરા મનપામાં 7, વડોદરા ગ્રામ્યમાં 5, રાજકોટ મનપામાં 6, રાજકોટ ગ્રામ્યમાં 6, જામનગર મનપામાં 6, ભાવનગર મનપા 5, ભાવનગર ગ્રામ્યમાં 7, જૂનાગઢ મનપા 4, જૂનાગઢ ગ્રામ્યમાં 7, કચ્છમાં 5, મહેસાણામાં 3, સહિત કુલ 119 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ શનિવારે 14,737 દર્દી સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,18,234 દર્દી સાજા થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન શનિવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 3359, સુરત મનપામાં 889, વડોદરા મનપામાં 710, રાજકોટ મનપામાં 396, ભાવનગર મનપામાં 280, ગાંધીનગર મનપામાં 124, જામનગર મનપામાં 382 અને જૂનાગઢ મનપામાં 246 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 273, જામનગર ગ્રામ્ય 264, વલસાડ 102, મહેસાણા 588, વડોદરા ગ્રામ્ય 439 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,43,421માં વેન્ટિલેટર ઉપર 782 અને 1,42,639 દર્દી સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં કુલ 1,02,87,224 વ્યક્તિનું પ્રથમ ડોઝનું અને 31,15,821 વ્યક્તિના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,34,03,045 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે 18થી 44 વર્ષ સુધીના 19,276 વ્યક્તિનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 39,790 વ્યક્તિનું પ્રથમ ડોઝ અને 1,16,114 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Most Popular

To Top