Gujarat

રાજ્યમાં કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો : વધુ 5246 પોઝિટિવ, 71ના મોત

રાજ્યમાં કોરોનાના નવા 5,246 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 10 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 71 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9340 થયા છે. બીજી તરફ બુધવારે 9,001 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,69,490 દર્દીઓ સાજા થયા છે. બુધવારે અમદાવાદ મનપામાં 10, સુરત મનપામાં 6, સુરત ગ્રામ્યમાં 2, વડોદરા મનપામાં 3, વડોદરા ગ્રામ્યમાં 3, રાજકોટ મનપામાં 3, રાજકોટ ગ્રામ્યમાં 3, જામનગર મનપામાં 4, ભાવનગર મનપા 1, જૂનાગઢ મનપા 3, જૂનાગઢ ગ્રામ્યમાં 4, મહેસાણામાં 3, સહિત કુલ 71 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 1296, સુરત મનપામાં 319, વડોદરા મનપામાં 436, રાજકોટ મનપામાં 168, ભાવનગર મનપામાં 55, ગાંધીનગર મનપામાં 56, જામનગર મનપામાં 149 અને જૂનાગઢ મનપામાં 109 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 71, જામનગર ગ્રામ્ય 64, વલસાડ 66, મહેસાણા 78, વડોદરા ગ્રામ્ય 205 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 92,617, વેન્ટિલેટર ઉપર 742 અને 91,875 દર્દીઓ સ્ટેબલ છે.-

Most Popular

To Top