Charchapatra

ભારતના મુસલમાનો સાવધાન

ભારત પર કોઇ આફત આવે એટલે કેટલાક મુસલમાનો ગેલમાં આવી જાય અને આફતનુ કારણ પાકિસ્તાન હોય તો પાકિસ્તાનના હમદર્દ હોય તેવી રીતે વર્તે છે પણ તેમને ખબર છે કે પાકિસ્તાનમા ભારતના મુસ્લિમોની કોઇ કિંમત નથી? અને તેમને હિન્દુસ્તાની કૂતરા કહે છે? તાજેતરમાં મારે કરાચી, રાવલપિંડી, ઇસ્લામાબાદ અને લાહોર ધંધાના કામે જવાનુ થયુ તો ભારતનો મુસલમાન હોવાથી મારુ આડકતરી રીતે અનેક વાર અપમાન થયુ, ત્યાંના વેપારીઓ અને રીક્ષાવાળાઓ અને મજુરો પણ એવી રીતે વર્તે કે હિન્દુસ્તાનમાં રહેવાની સજા તો મળવી જોઇએ ને? લાહોરમાં નમાઝ પઢવા ગયો તો મારી બેગ ચોરાઇ ગઇ અને પોલીસને ફરિયાદ કરી તો મને બે દિવસ લોકઅપમાં રાખી મારા પૈસા લૂંટી મને છોડી દીધો. ક્રેડિટ કાર્ડ બચી ગયો એટલે વાંધો નહીં. ભારતીય મુસ્લિમોએ લાહોરમાં અલગ રહીને નમાઝ પઢવી પડે છે, આવા પાકિસ્તાન માટે આપણે ભારત સાથે ગદ્દારી કરવાની? ચોકબજાર, પખાલીવાડ સુરત – ચાંદમીયા હુશેન મીંયા શેખ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top