National

હાશ, બે વર્ષે કોરોનાના નિયમો પાળવામાંથી મળી મુક્તિ, આ બે સિવાય તમામ પ્રતિબંધો દૂર કરાયા

નવી દિલ્હી: ભારત સરકારે દેશમાં કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. હવે માત્ર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રહેશે. જો કે, જો કોરોનાના કેસ વધશે તો રાજ્ય ત્યાં નિર્ણય લઈ શકે છે. બે વર્ષ પછી, કેન્દ્ર સરકારે 31 માર્ચથી કોવિડ -19 સંબંધિત તમામ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયમો પહેલાની જેમ જ અમલમાં રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે આ અંગે આદેશ જારી કર્યો છે.

દેશમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડાને અને સ્થિતિમાં સુધારાને જોતા સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હટાવવાનો નિર્ણય લીધો છે . જો કે, સ્વાસ્થ્ય મંત્રાલયે સલાહ આપી છે કે કોવિડ-19 સંબંધિત દરેક સાવચેતીનું પાલન કરવું જોઈએ. જો કોઈ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના કોઈપણ ભાગમાં કોરોનાના કેસ વધે છે, તો રાજ્ય તેને રોકવા માટે પગલાં લઈ શકે છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ પણ કોરોના નિયંત્રણ પગલાં માટે DM એક્ટ લાગુ કરવાના આદેશને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના પત્રમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ડીએમ એક્ટ હેઠળ જારી કરાયેલી માર્ગદર્શિકા દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.

Image

31 માર્ચે મુદત પૂરી થયા પછી, ગૃહ મંત્રાલય દ્વારા કોઈ વધુ આદેશ જારી નહી કરે : કેન્દ્રીય ગૃહ સચિવ
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, 31 માર્ચે વર્તમાન આદેશની મુદત પૂરી થયા પછી, ગૃહ મંત્રાલય દ્વારા કોઈ વધુ આદેશ જારી કરવામાં આવશે નહીં. જો કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ચહેરાના માસ્ક અને હાથની સ્વચ્છતાના ઉપયોગ સહિત કોવિડ નિયંત્રણના પગલાં અંગેની સલાહ, રોગચાળા માટેના સમગ્ર રાષ્ટ્રીય પ્રતિસાદને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે, એમ તેમણે જણાવ્યું હતું. જોકે, ગૃહ સચિવે કહ્યું હતું કે રોગની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, લોકોએ હજુ પણ પરિસ્થિતિ પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે જ્યારે પણ કેસોની સંખ્યામાં કોઈ વધારો જોવા મળે છે, ત્યારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સમયાંતરે આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ સ્થાનિક સ્તરે તાત્કાલિક અને સક્રિય પગલાં લેવાનું વિચારી શકે છે.

Image

દેશમાં હવે માત્ર 23 હજાર કોરોના કેસ છે
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 1,778 નવા કેસ નોંધાયા છે જ્યારે 62 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા હવે 23,087 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 181.56 કરોડ કોરોના રસી લાગુ કરવામાં આવી છે.

Most Popular

To Top