Dakshin Gujarat Main

વલસાડમાં 5 સહિત રાજ્યમાં કોરોનાના વધુ 19 કેસ, 22 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 5 કેસ સહિત 19 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે. નવા કેસમાં વલસાડમાં 5, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 3, જૂનાગઢ ગ્રામ્યમાં 2, જામનગર, રાજકોટ ગ્રામ્ય-શહેર, સુરત ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 176 થઈ છે, જેમાંથી 04 વેન્ટિલેટર પર અને 172 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે 45 વર્ષથી વધુ ઉંમરના 34,058ને પ્રથમ ડોઝ અને 92,902ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 1,00,713ને પ્રથમ ડોઝ અને 1,97,847ને બીજો ડોઝ જ્યારે 5 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 4,569ને બીજો ડોઝ મળી આજે કુલ 4,30,094 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,37,58,795 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top