National

મોસ્કોથી આવેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની મળી સૂચના, મુસાફરોને સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યા

નવી દિલ્હી: મોસ્કોથી (Moscow) દિલ્હી (Delhi) આવી રહેલા પ્લેનમાં (plane) બોમ્બ (Bomb) હોવાના સમાચારે લોકોમાં હલચલ મચાવી દીધી હતી. ગઈકાલે રાત્રે આ પ્લેન મોસ્કોથી દિલ્હી આવ્યું છે. આ ફ્લાઈટ (Flight) બપોરે 3.20 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થઈ હતી. પોલીસે જણાવ્યું કે મોસ્કોથી દિલ્હી આવી રહેલા વિમાનમાં ગઈકાલે રાત્રે બોમ્બ હોવાની માહિતી મળી હતી. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને ઉતારવામાં આવ્યા હતા. જો કે તેમાં કોઈ બોમ્બ મળ્યો ન હતો. આ મામલે હજી તપાસ ચાલી રહી છે.

386 મુસાફરોને નીચે ઉતાર્યા અને વિમાનની તપાસ કરવામાં આવી
મળતી માહિતી અનુસાર બપોરે 1:28 વાગ્યે દિલ્હી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે ફ્લાઈટ નંબર SU 232 (મોસ્કોથી દિલ્હી)માં બોમ્બ હોવાના અહેવાલ છે. જેના કારણે હોબાળો મચી ગયો હતો. પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ તમામ એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ હતી. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્લેન રનવે 29 પર લેન્ડ થયું હતું. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાનની તપાસ કરવામાં આવી હતી. જો કે તેમાં કોઈ બોમ્બ મળ્યો ન હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ફ્લાઇટમાં 386 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર હતા. આ મેઈલ કોણે અને ક્યાંથી મોકલ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ફ્લાઈટમાં બોમ્બની માહિતી પહેલાથી જ મળી ગઈ છે
આ પહેલા ઈરાનથી ચીન જઈ રહેલું વિમાન જેમાં બોમ્બ હોવાના સમાચાર આવતા ખળભળાટ મચી ગયો હતો, જોકે બાદમાં તે ફ્લાઈટ સુરક્ષિત રીતે ચીનમાં ઉતરી ગઈ હતી. જ્યારે પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા, ત્યારપછી પેસેન્જર પ્લેનના પાયલટોએ દિલ્હી એટીસીનો સંપર્ક કર્યો અને પ્લેનને લેન્ડ કરવાની મંજૂરી માંગી. જોકે, ભારતીય પક્ષને જયપુર અને ચંદીગઢમાં એરક્રાફ્ટ લેન્ડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. પરંતુ પાયલટોએ પ્લેનને લેન્ડ કરવાની ના પાડી દીધી હતી. આ પછી પ્લેન લગભગ 45 મિનિટ સુધી ભારતની ઉપરથી ઉડતું રહ્યું. આ પછી ભારતીય વાયુસેના એલર્ટ પર આવી ગઈ. વાયુસેનાએ તેની પાછળ સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ મૂક્યું હતું.

ઈરાન તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ વિમાનને ચીન મોકલવામાં આવ્યું હતું. ફ્લાઈટને ભારતીય સરહદની બહાર લઈ જવામાં આવી હતી. જોકે ચીનમાં જ્યારે પ્લેનનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ફ્લાઈટમાં કોઈ બોમ્બ મળ્યો ન હતો.ત્યાં બોમ્બ હોવાની માહિતી માત્ર અફવા હતી. લાહોર એટીએસે ભારતને ફોન કરીને ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી.

Most Popular

To Top