Madhya Gujarat

પાદરા માર્કેટના 121 વેપારીઓએ રામમંદિર માટે રૂા. 1,51,111 આપ્યાં

છોટાઉદેપુર: પાદરા સરદાર પટેલ શાકભાજીમાર્કેટના 121 દલાલ વેપારીઓએ રામજન્મભુમી નિધિને રૂિપયા 1,51,111 રૂિપયાનો ચેક જિલ્લાના પ્રમુખ જીગર પંડયાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વીન પટે, વેપારી આગેવાન કાલીદાસ ગાંધી પ્રમુખ િદનેશ ગાંધી સહિત મોટી સંખ્યામાં સરદાર પટેલ શાકમાર્કેટ એસોસીએશન દલાલ વેપારીઓ ઉપસ્થિત રહયા હતા.

પાદરા તાલુકાના કાર્યકર્તાઓએ માત્ર 30 જાન્યુઆરી સુધી ગામેગામ ઘરે ઘરે જઈ જનસંપર્ક કરી રામ મંદિર રાષ્ટ્ર મંદિર બને અને લોકો ભારતીય પરંપરા સંસ્કૃિત મુજબ પોતાનું સ્વપાર્જીત ધનનું સમર્પણ કરે તેવા ભાવના સાથે સમગ્ર અિભયાનમાં પાદરામાં 10000થી વધુ કાર્યકર્તાઓ સક્રીય છે. 

પાદરાના જાગૃત રામભકત જાગૃત નાગરીકો તેમજ પાદરા સરદાર પટેલ શાકભાજીના 121 વેપારીઓ દલાલો દ્વારા 1,51,111 નો ચેક રામ મંિદર જન્મભુમી મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના જિલ્લાના પ્રમુખ જીગર પંડયાને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં વેપારી મંડળના કારોબારી તેમજ ભાજપાના મહામંત્રી શૈલેષ સ્વામી જિલ્લા સદસ્ય અધ્યક્ષ અશ્વીન પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા. 

આ ચેક અર્પણ કાર્યક્રમમાં કાલીદાસ ગાંધી, પરેશ ગાંધી, દિનેશ ગાંધી, જાર સમિતિના ઉપપ્રમુખ સચીન ગાંધી, સંજય ગાંધી, નિતેષ ગાંધી, મહેશ ગાંધી મહેશ ગાંધી, બાલભાઈ ગાંધી જયેશ દાઢી સહિતના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top