Vadodara

સાવલી ની મસ્જિદ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થર મરાયા

સાવલી નગરની નાથીબીબી કી મસ્જિદ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરો પડતા ભારે ઉત્તેજના પ્રસરી અને લોકટોળા ઉમટી પડ્યા હતા .

કોઈ અજાણ્યા ઈસમો દ્વારા મસ્જિદ પર એક બે પથ્થરો ફેંકી સાવલીની શાંતિને ડહોળવાનો નાકામ પ્રયાસ કર્યો હતોnસાવલીના ખાડિયા બજારમાં આવેલી નાથીબીબી કી મસ્જિદ ઉપર નમાઝ દરમિયાન પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.
સાવલી નગરની શાંતિ ડહોળવા અસામાજિક તત્વો દ્વારા પ્રયત્નો કરવામાં આવતા ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી અને લાગણી દુભાઈ હતી .
સાવલી પોલીસને બનાવની જાણ કરાતા સાવલી પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બનાવના પડઘા ન પડે તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો છે અને હાલ બિલકુલ નગરમાં શાંતિ પ્રવર્તી રહી છે

Most Popular

To Top