Vadodara

સરાર ગામે જમાઇ દ્વારા ચાકુના ઉપરાછાપરી ઘા ઝિંકી સાસુની હત્યા

પત્ની પર ચાકુથી હુમલો કર્યો હોય ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડાઇ, જમાઇએ જાતે પણ પોતાના શરીર પર ઘા મારી આપઘાત કરી લીધો

પ્રતિનિધિ વડોદરા તા.20

વડોદરા જિલ્લાના પોર પાસેના સરાર ગામમાં ખુની ખેલાયો ખેલાતા ચકચાર મચી ગઇ હતી. જેમાં સાસરીમાં આવેલા જમાઇએ પત્ની તથા સાસુ પર ચાકુના ઉપરાછાપરી ઘા માર્યા હતા. જેમાં સાસુરની ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નીને ગંભીર હાલતમાં એસએસજીમાં ખસેડાઇ હતી. ત્યારબાદ જમાઇએ જાતે પણ પોતાના શરીર પર ચાકુના ઘા ઝિંકતા તેનું પણ મોત થયુ હતું. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના પોર નજીક આવેલા સરાર ગામમાં રહેતા મનિષા વસાવાના લગ્ન અંકલેશ્વર તાલુકાના એખ ગામે જિગ્નેશ મહેશ પટેલ સાથે તાજેતરમાં થયા હતા. નવા નવા લગ્ન થયા હોય દંપતીને સંતાન ન હતું. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી મનિષા સાસરીમાંથી પોતાના પિયર સરાર ગામે આવી હતી. દરમિયાન શનિવાર રોજ મનિષા વસાવાના પિતા તથા ભાઇ કામ પર ગયા હતા. જ્યારે તેમના ઘરે મનિષા તથા તેની માતા સુધાબેન વસાવા હાજર હતા. દરમિયાન 20 જુલાઈના રોજ  જિગ્નેશ પટેલ સરાર ગામે આવી ચડ્યો હતો અને તેની પત્ની તથા સાસુ સાથે અગમ્ય કારણોસર બોલાચાલી થઇ હતી. દરમિયાન  ઉશ્કરાયેલા જિગ્નેશ પટેલે તેની પત્ની તથા સાસુના ઉપરા છાપરી ઘા મારવા લાગ્યો હતો. જેમાં સુધાબેનને ગંભીર ઘા વાગી જતા ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે તેમની મનિષા વસાવા લોહીલુહાણ હાલતમાં ઘરમાં ફસડાઇ પડી હતી. ત્યારબાદ જિગ્નેશ પટેલે જાતે પણ ઘરની બહાર નીકળીને ફળિયામાં વચ્ચે ઉભા રહીને પોતાના પર ચાકુના ઘા મારવા લાગ્યો હતો. જેથી પાડોશીઓને ઝઘડા અંગે જાણ થઇ હતી. જોકે ગંભીર ઘાના વાગી જવાના કારણે જિગ્નેશ પટેલનું પણ ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ઘરમાં પડેલી મનિષાને તેની કુંટુંબી સહિતના લોકોએ એસએસજી હોસ્પિટલમાં ખસેડી હતી. જેની જાણ વરણામા પોલીસને થતા તુરંત સ્થળ પર દોડી આવી હાલમાં મર્ડરનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Most Popular

To Top