Vadodara

શહેરના યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત..

પોતાના ઘરે બેડરૂમમાં સાડી વડે ફાંસો ખાઇ મોત નિપજયું..

શહેરના સુભાનપુરા વિસ્તારના 20 વર્ષીય યુવકે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર સાડી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ, શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી સર્કલ નજીક આવેલા રામેશ્વર મંદિરની સામે આવેલી રેસકોર્સ સોસાયટીના મકાન નં. બી-72 ખાતે રહેતા મૂળ નડિયાદનાગૌરાંગ સંજયભાઇ વાઘેલા નામના યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો બે વર્ષ અગાઉ તેના લગ્ન થયા હતા દાંપત્યજીવન દરમિયાન તેઓને એક વર્ષનું બાળક છે અને યુવક ઓટોરિક્ષા ચલાવતો હતો તથા તેની માતા કૃણાલ ચારરસ્તા ખાતે કપડાં વેચવાનો ધંધો કરે છે. હાલ દિવાળી નજીક હોય ગૌરાંગ તથા તેનો પરિવાર નડિયાદ મૂળ વતન મકાનની સફાઇ માટે ગયા હતા જ્યાંથી માતા સાથે ગૌરાંગ વડોદરા આવ્યો હતો અને માતા સાથે નવી રીક્ષા લાવવાની વાત કરી હતી પરંતુ માતાએ હાલમાં પૈસા નથી તેમ જણાવ્યું હતું ત્યારબાદ ગૌરાંગ પોતાના રૂમમાં સૂવા જવાનું કહી બેડરૂમમાં જતો રહ્યો હતો પરંતુ ગત તા. 22મી ઓક્ટોબરે રાત્રે સાડા નવ થી સાડા દસ વાગ્યા દરમિયાન કોઇ અગમ્ય કારણોસર આવેશમાં આવી જઇ પોતાના મકાનના બેડરૂમમાં સાડી વડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું માતાએ દરવાજો ખખડાવતા ગૌરાંગે દરવાજો ન ખોલતાં આસપાસના લોકોએ દરવાજાને ધક્કો મારી જોતાં ગૌરાંગ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં ગોરવા પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાને પગલે ગોરવા પોલીસે મૃતદેહને એસ.એસ.જી.હોસ્પિટલમાં કોલ્ડરૂમમા મૂકીપોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top