Zalod

ઝાલોદ તાલુકાના માંડલીનાખુંટા ગામે પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધો



ઝાલોદ તાલુકાના માંડલીખૂંટા ગામે બે પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું

છોકરાના લગ્ન નક્કી થઈ જતાં ખેતરમા જઈ લીમડાની ડાળે લટકી યુગલે જીવન ટૂંકાવ્યું

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માંડલીનાખુંટા ગામે એક પ્રેમી પંખીડાએ ખેતરમાં એક ઝાડ સાથે ઓઢણી બાંધી બંન્ને એકસાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં આ બનાવને લઈ ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે બંન્ને પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.

ઝાલોદ તાલુકાના માંડલીખૂંટા ગામે અલગ અલગ ફળિયામાં રહેતા બે પ્રેમી પંખીડાઓ જેમાં ૧૯ વર્ષિય પ્રભાબેન ભલાભાઈ કમોળ તેમજ ૨૧ વર્ષિય મિતેશભાઈ મનુભાઈ મકવાણાએ ઝાલોદના માંડલીખુંટા ગામે સવારના આઠેક વાગ્યાના આસપાસ ખેતરમાં એક લીમડાના ઝાડ સાથે ઓઢણી બાંધી બંન્નેએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે સ્થળ પર ગ્રામજનો તેમજ પરિવારજનો દોડી આવ્યાં હતાં. ઘટનાને પગલે બંન્નેના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં બંન્નેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોલીસે બંન્નેના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવામાં આવ્યાં હતાં. સ્થાનિકોમાં થતી ચર્ચાઓ પ્રમાણે યુવકના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા હતા અને ટૂંક દિવસોમાં યુવકના લગ્ન આવી રહ્યા હતા. પરંતુ આ બંને પ્રેમી પંખીડાઓએ એક બીજા સાથે રહેવાનો ર્નિણય કર્યો હોય તેવું લાગી રહ્યું હતું. તેથી બંને પ્રેમી યુગલે આજરોજ વહેલી સવારે પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું.આ બંને યુગલ પોતાના ઘરે વહેલી સવારે ન જાેવાતા બંનેના પરિવારજનોએ શોધખોળ આદરી હતી.

આ સંબંધે ભલાભાઈ મેતીયાભાઈ કામોળે પોલીસે મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————

Most Popular

To Top