બ્રિજની કામગીરી ને લઇને એક તરફના ટ્રાફિકને ડાયવર્ટ માટે બેરિકેટિગ ન કરતાં અકસ્માત સર્જાતો હોવાના લોક આક્ષેપ
(પ્રતિનિધિ) વડોદરા તા. 09
શહેરના છાણી થી જી.એસ.એફ.સી.તરફ જવાના માર્ગે બ્રિજની કામગીરી ને લઇને એક તરફ ટ્રાફિકના ભારણને કારણે યોગ્ય વ્યવસ્થા ન કરાતાં શુક્રવારે એક બાઇક સવાર આધેડનું અકસ્માત ને પગલે કમકમાટીભર્યું મોત નીપજયું હતું બનાવી જાણ થતાં છાણી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના છાણી થી જી.એસ.એફ.સી. તરફ જતા જી.એસ.એફ.સી. બ્રિજ પર કામગીરી ને કારણે છેલ્લા દોઢેક મહિના ઉપરાંતથી બ્રિજની કામગીરી ચાલી રહી છે જેના કારણે એક તરફનો બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે જેથી એક જ સ્લાઇડમાં બંને તરફના વાહનોનો ટ્રાફિક થઇ જતો હોય છે અહીં જી.એસ.એફ.સી. સહિત અનેક કંપનીઓ આવેલી છે તદ્પરાંત શહેરના વાહનોની અવરજવર રહે છે તે જ રીતે બહારથી પણ વાહનો આવતા હોય છે પરંતુ આ એક જ તરફના માર્ગ વચ્ચે અકસ્માત ન સર્જાય તે માટે કોઇપણ પ્રકારની સલામતી વ્યવસ્થા એટલે કે બેરીકેટિગ કરવામાં નથી આવ્યા જેના કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે શુક્રવારે જી.એસ.એફ.સી. બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં હોન્ડા મોટરસાઇકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06- ઇ એસ-04262પર જતાં આશરે 63 વર્ષીય રવિન્દ્ર બાલાસાહેબ લોખંડે નામના આધેડનું માથામાં ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.બનાવની જાણ થતાં છાણી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે સ્થાનિક કાઉન્સિલર હરેશ પટેલે આક્ષેપો કર્યા હતા કે, અહીં છેલ્લા દોઢેક મહિનાથી બ્રિજ પરની કામગીરી ચાલી રહી છે જેમાં અધિકારી રવિ પંડ્યા છેલ્લા એકાદ મહિનાથી બિમાર હોવાથી રજા પર હોય અહીં કામગીરી અટકી છે સાથે જ અધિકારી ન હોવાથી એક તરફના બ્રિજ પર યોગ્ય ટ્રાફિક સંચાલન માટે બેરિકેટિગની વ્યવસ્થા ન કરાતાં એક આધેડનું મોત નિપજ્યું છે અને અકસ્માતનો ભય રહેલો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાથી સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવી જોઈએ જેથી લોકોને હાલાકી ભોગવવાનો વારો ન આવે અને અકસ્માત ન સર્જાય.
