સાથે જ તમામ તબીબી સ્ટાફની રજાઓ રદ્દ કરી દેવામાં આવી , લોકોને રક્તદાન શિબિર થકી રક્ત એકત્રિત કરવા અપીલ કરાઇ
વડોદરા: પહેલગામ આતંકી હૂમલામાં નિર્દોષ 26 પૂર્વ પર્યટકો ના મોતનો બદલો ભારતે ‘ઓપરેશન સિંદુર ‘ થકી લઈ પીઓકે અને પાકિસ્તાનમાં આવેલા કુલ 9 આતંકવાદી લોન્ચપેડ ને તબાહ કરી દીધું હતું. જેના કારણે યુધ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે દેશમાં તમામ સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમા પણ તમામ તબીબી સ્ટાફની તબીબોની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે અને સૌને ફરજ પર 24×7 ફરજ પર શિફ્ટ મુજબ હાજર થવા માટે જણાવી દેવામાં આવ્યું છે. અહીં અગાઉથી જ અલાયદા વોર્ડમાં 20 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જરૂર પડે અન્ય વોર્ડ અને બેડની જરૂર પ્રમાણે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે સાથે જ ઓક્સિજન અને દવાઓનો પૂરતો જથ્થો પણ કરી લેવામાં આવ્યો છે.

હોસ્પિટલના આર.એમ.ઓ.ડો.હિતેન્દ્ર ચૌહાણ દ્વારા લોકો ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નાગરિક તરીકે રક્તદાન શિબિર નું આયોજન કરીને વધુમાં વધુ રક્ત યુનિટ એકત્રિત કરી તૈયાર કરે તેવી અપીલ કરવામાં આવી છે..જેથી યુધ્ધની ઇમરજન્સી પરિસ્થિતિમાં ઇજાગ્રસ્ત સૈનિકો અને ઇજાગ્રસ્તને જીવતદાન મળી શકે.

