Dahod

માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના નિવૃત સૈનિકો યુદ્ધની સ્થિતીમાં બોર્ડર પર લડાઈ માટે સ્વૈચ્છિક જવા તૈયાર

દાહોદ:

માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત રાજ્યના નિવૃત સૈનિકોએ યુદ્ધની સ્થિતીમાં બોર્ડર પર લડાઈ માટે સ્વૈચ્છિક જવા તૈયારી દર્શાવતા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળે છે.

માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત રાજ્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ગુજરાત માજી સૈનિક સંગઠન ગુજરાતના નિવૃત સૈનિકોનું બનેલું સંગઠન છે. અમારા સંગઠન દ્વારા માજી સૈનિકો, વીર નારીઓ અને એમના પરિવારના કલ્યાણ અર્થે કાર્ય કરી રહ્યા છીએ. આ સંગઠન સમગ્ર ગુજરાતમાં જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય લેવલ સુધી પ્રસરાયેલા છે. વિશેષમાં મહિલા વિંગ પણ કાર્યરત છે. અમો તમામ માતૃભૂમિ માટે સદેવ સમર્પિત છીએ. વર્તમાનમાં ૨૨/૦૪/૨૦૨૫ ના રોજ પહેલગામ, જમ્મુ કાશ્મીર માં જે આંતકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ૨૬ નાગરિકોની આસપાસ મોતને ભેટ્યા. તેનાથી અમો ખૂબ દુઃખી છીએ અને આ ઘટનાને વખોડી કાઢીએ છીએ. આ ઘટનાથી અમો નિવૃત સૈનિકો પાકિસ્તાન જેવા આંતકવાદી પ્રવૃત્તિને સાથ આપનાર સામે ખૂબ જ ક્રોધિત છીએ. ભલે અમે ભારતીય સેનામાથી નિવૃત થયા હોય પરંતુ આજે પણ દેશને માટે બલિદાન આપવા જરાય પાછી પાની નહી કરીએ. અમારો જોમ અને જુસ્સો આજે પણ બરકરાર છે. આથી અમો જાહેર કરીએ છીએ કે જ્યારે પણ દેશને અમારી જરૂર પડે તો અમો પાકિસ્તાન જેવા દુશ્મન દેશો સામે લડવા માટે તૈયાર છીએ. કેવળ આપના તેમજ મહામહીમ રાષ્ટ્રપતિના આદેશ ની જરૂર છે. ઉક્ત બાબતે આપ તરફથી હકારાત્મક અભિગમ સાથે અમને એકવાર દેશને માટે બલિદાન આપવા યુધ્ધમાં જવાની પરવાનગી આપશો તેવી આશા પણ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત રાજ્યના માજી સૈનિકોએ વ્યક્ત કરી છે.

Most Popular

To Top