બિલ્ડરો દ્વારા દબાણો ઓળખીને તેમને મૂળ સ્થિતિમાં પાછા લાવો:- કોંગ્રેસ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વરસાદી પાણીના ગટરો અને ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને સમારકામનું કામ યોગ્ય રીતે નહીં થયું હોવાનો આક્ષેપ શહેરીઓ તરફથી થયો છે. શહેરીજનો નો દાવો છે કે, ગયા વર્ષે થયેલા પૂર બાદ આ વર્ષે પૂર્વ-ચોમાસાના કામ માટેનું બજેટ ચાર ગણું વધારવામાં આવ્યું હતું, છતાં પણ શહેરની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.

શહેરમાં સોમવારે સાંજે આવેલ વાવાઝોડા દરમ્યાન ત્રણ મૃતકોને વળતર આપવાની તેમજ હોર્ડિગ્સ લગાડનારા સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર ને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી
હવામાન વિભાગ દ્વારા ગત તા. 04 મે થી આગામી 12 મે સુધી પવન, ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકા તંત્ર ફક્ત વિશ્વામિત્રી પ્રોજેક્ટ તરફ જ ધ્યાન આપી શહેરમાં ગેરકાયદેસર હોર્ડિગ્સ હટાવના, તોતિંગ વૃક્ષોની છટણી,વિજ વાયરોને નડતરરૂપ વૃક્ષો ની છટણી કરવાની તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં તૂટેલા ડ્રેનેજના ઢાંકણાં બદલવાની તેમજ વરસાદ દરમિયાન શહેરમાં કોન્ટ્રાકટરો દ્વારા ડ્રેનેજ, પાણીની લાઇનની કામગીરી માટે ખોદી નાખેલા ખાડાઓ નું કામગીરી બાદ યોગ્ય પૂરાણ કરવામાં આવ્યું છે કે કેમ તથા શહેરના સ્પીડબ્રેકરો પર રાત્રે જોઇ શકાય તેવા ઝીબ્રા ક્રોસિંગ પટ્ટા પાડવા જેવી કામગીરી તરફ ધ્યાન ન આપતાં ગત સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં બદલાવ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો હોર્ડિગ્સ પડયા હતા જેના કારણે વિજવાયરો પણ તૂટ્યા હતા શહેરમાં વાવાઝોડા દરમ્યાન ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે વૃક્ષ નીચે તેમજ જર્જરિત ઇમારતો ના ભાગ પડતાં કેટલાક લોકોને ઇજાઓ પહોંચી હતી અને વાહનોને નુક્સાન થયું હતું ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુને આવેદનપત્ર આપી મૃતકોને વળતર આપવાની તેમજ શહેરમાં લાગેલા હોર્ડિગ્સ લગાડનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુભાઇ)એ સવાલો ઉઠાવ્યા હતા કે એક તરફ સરકાર હોર્ડિગ્સ ફ્રી ની વાત કરે છે બીજી તરફ શહેરમાં હોલ્ડિંગ ને કારણે મોત અને નુકસાન થયું છે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી કામગીરી થી શું શહેરમાં પૂરની પરિસ્થિતિ ફરી નહીં ઉદભવે? શહેરમાં અલગ અલગ મ્યુનિસિપલ કમિશનર આવે છે બદલાય છે અને પ્રોપર કામગીરી થતી નથી તેમ જણાવ્યું હતું.
વડોદરા કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિઓએ પણ આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, બિલ્ડરો દ્વારા કુદરતી તળાવો અને વરસાદી પાણીના ડ્રેઇનનું દબાણ થયું છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. તેમણે કોર્પોરેશન પર દબાણ મૂક્યું છે કે, શહેરમાં ફરીથી પાણી ન ભરાય તે માટે એક્શન પ્લાન જાહેર કરવામાં આવે અને કુદરતી ડ્રેઇનને તેમના મૂળ સ્થિતિમાં પાછા લાવવામાં આવે.

આવેદનપત્ર આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ત્રૃત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુભાઇ ( કોંગ્રેસના ચૂંટાયેલા કાઉન્સિલરો,કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
