એક જાગૃત નાગરિક દ્વારા ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી
દાહોદ:
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી પસાર થતા ફતેપુરા રોડ થી ઉત્તરથી દક્ષિણ તરફના કોળીવાડામાં થઈ બહાર સુધી આવતા રસ્તાઓ પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાવવા બાબતે એક જાગૃત નાગરિક દ્વારા ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
ઝાલોદ નગરમાં રહેતા જાગૃત નાગરિક એવા રસીદ અબ્દુલ ટીમિવાળા દ્વારા ઝાલોદ નગર પાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ઝાલોદ ફતેપુરા રોડ પર ગુલિસ્તાન સોસાયટીના પશ્ચિમે આવેલો રસ્તો કે જે ફતેપુરા રોડ થી ઉત્તર થી દક્ષિણ તરફના કોળીવાડામાં થઈ બહાર સુધી જાય છે. તે રસ્તો લગભગ ૨૦ ફૂટ પહોળાઈનો હતો. જે હાલ અહીના રહીશોએ પોતાના મકાનોના પાછળનો ભાગ પડતો હોય દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરી જાજરૂ બાથરૂમ તેમજ ઓટલા બનાવી બહુ જ સાંકળો કરી દીધો છે. કસ્બામાથી આવતી ગટર લાઈનની ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. ત્યાથી આગળ જતા આ રોડ થી ઉંમર ફારૂક મસ્જિદ પર જતાં રસ્તા ઉપર સલીમભાઈ કૈયુમભાઈ નાગુજીના મકાનની આગળ તેમજ પાછળ એમ બે રસ્તા આવેલા છે. જેમા સલીમભાઈ કેયુમભાઈ નાગુજીએ તેમના મકાનની આગળ અવર જવરના રસ્તા ઉપર દીવાલ ચણી રસ્તો બંધ કરી તેના ઉપર જ શેડ બનાવી દીધો છે. અને તેમના મકાનના પાછળના ભાગે આવેલા રસ્તા ઉપર પણ ત્યાના રહીશોએ રસ્તા ઉપર દબાણ કરી પોતાના ગેરકાયદેસર બાંધકામ ખેંચેલા છે. ત્યારબાદ રજજાકભાઈ કુકાના મકાનથી લઈ અને શુશિલાબેન કોળીના મકાનની પાછળના ભાગે અને ચીમનભાઈ કોળીના મકાનની આગળના ભાગે તથા વિનોદભાઈ કોળી અને રમેશભાઈ કોળીના મકાનના પાછળના ભાગે આવવા જવાના રસ્તામાં પણ અહીંના રહીશોએ ગેરકાયદેસર દબાણ કર્યું છે અને અમુક સ્થળે લાઈટના થાંભલા પણ રસ્તાની વચ્ચે મૂક્યા છે. આમ આ રસ્તાઓ ઉપર ફતેપુરા રોડથી અંદર આવી ઉમર ફારૂક મસ્જિદ અને કોલીવાડા થઈ નીકળવાનો રસ્તો અહીના અમુક રહીશોએ દબાણ કરી ખૂબ જ સાંકળો કરી દીધો છે .અન્ય સહીશોને આવવા જવામાં ખૂબ જ હાલાકી પડે છે. કોઈપણ કામ અંગે કોઈ વાહન અથવા ઈમરજન્સી વખતે કોઈ જરૂરી વાહન ત્યાથી પસાર કરવામાં ખૂબ જ હાલાકી પડે તેમ છે. જેથી આ ગેરકાયદેસર દબાણ દૂર કરી અવર જવર માટેનો રસ્તો યોગ્ય પહોળાઈ નો કરવા ઘટતું કરવા માટે ઉપરોક્ત અરજદાર દ્વારા ઝાલોદ નગરપાલિકા ના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.
