
દાહોદ :
લુખ્ખા તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી છે જે રાજ્ય વ્યાપી થઈ રહી છે. આના ઘણા બનાવો પણ સામે આવ્યા છે. જેમાં આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિઓ જોડે સંકળાયેલા છે. તેમના ઘરે ગેરકાયદેસર હોય અથવા તો અન્ય ગેરકાયદેસર રીતે જોડાણ લીધેલા હોય તેને દૂર કરવાની તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય તેવી જ રીતે દાહોદ જિલ્લાના ગરબાડામાં પણ સીમલીયા બુઝર્ગના મર્ડરના આરોપી નયેશકુમાર ભરતસિંહ પરમારનું ગૌચરમાં બનાવેલું ઘર વહીવટી તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
